| ભારતના અત્યંત લોકપ્રિય ભૂતપુર્વ રાષ્ટ્રપિત ડો. એ.પી.જે. અબ્દુલ કલામને વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે તમારા વિચારોને ઘડનારા પુસ્તકો ક્યા? ડો. કલામ સાહેબે એમના પુસ્તક પ્રજવલિત માનસમાં એમના વિચારોને ઘડનારા ચાર પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે. ચાર પુસ્તકો મારા દિલથી ખૂબ નજીક રહ્યાં છે. હું તેને વાંચીને માણું છું. પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા તેમ જ દાર્શનિકમાં પરિવર્તિત થયેલા. ડો. એલેક્સિસ કેરલે લખેલા "મેન ધ અનનોન" (Man the Unknown) પુસ્તકમાં કોઇ પણ બીમારીમાં મન અને શરીર બન્નેની સાથે સાથે સારવાર કેવી રીતે કરવી જોઇએ, કારણ કે તે બન્ને એકબીજા સાથે જોડાયેલાં છે, તે બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તમે એકની સારવાર કરતાં બીજાની ઉપેક્ષા ન કરી શકો. ખાસ કરીને જે બાળકો ડોક્ટર બનવા ઇચ્છે છે તેમણે આ પુસ્તક વાંચવું જ જોઇએ. તેઓ એ વાંચીને સમજી શકશે કે માનવશરીર એ યાંત્રિક પ્રણાલી નથી : પરંતુ એક સૌથી વધુ જટિલ અને સંવેદનશીલ પ્રતિપોષણ પ્રણાલીયુક્ત ચેતન તંત્ર છે. બીજું પુસ્તક, જેના માટે મારા મનમાં અગાઘ શ્રદ્ધા છે તે તિરુવલ્લુવરનું "તિરુક્કુલ" જે જીવનની ઉત્કૃષ્ટ આચારસંહિતા પૂરી પાડે છે. ત્રીજું પુસ્તક છે, લિલિયન આઇશલર વોટ્સનનું લખેલું : "લાઇટ્સ ફ્રોમ મેની લેમ્પ્સ" (Lights from Many Lamps) જેણે મારા પર સારો પ્રભાવ પાડ્યો છે. તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. છેલ્લાં પચાસ વર્ષોથી આ પુસ્તક મને અમૂલ્ય માર્ગદર્શન આપી રહ્યું છે અને પવિત્ર કુરાન તો ખરેખર મારો સતત સાથીદાર છે જ. |