 | શિબિરને અંતે ઓછામાં ઓછા ૧૦ પુસ્તકો વિષે જાણે અને વાંચવાની ઉત્કંઠા રાખે. |
 | શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લેવા કટીબધ્ધ બને, અને પોતે ઓછામાં ઓછા કેટલા પુસ્તકો વાંચશે એ અંગે સંકલ્પ જાહેર કરે. |
 | શ્વાચન પ્રેરણા અને જીવનધ્યેયલક્ષી અન્ય સ્પર્ધાઓ )વકતૃત્વ, નિબંધ, ચિત્ર અને સુવિચાર વાચન( પૈકી ઓછામાં ઓછી કોઇપણ એક અને શક્ય હોય તો તમામ ચારેચાર સ્પર્ધામાં ભાગ લેવા કટીબધ્ધ બને. |
 | જીવનધ્યેય વિષે વિચારતો થાય અને આનુસંગિક વાચન કરવા પ્રેરાય. |
 | ઓછામાં ઓછું એક વાચનવ્રત લે. |
 | વિચાર કરવાની ગંભીરતાને સમજે. |
 | બીજા દસ મિત્રોને વાંચનની પ્રેરણા આપે. |
 | ઓછામાં ઓછા "દસ" મિત્રોને શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લેવા સમજાવશે, એવો સંકલ્પ કરે. |
 | બીજી શિબિરમાં ફરીથી હાજરી આપે. |
 | શિબિરની બેઠક વ્યવસ્થા ગોળાકારમાં રાખવી જેથી દરેક બાળક એકબીજાને જોઇ શકે. |
 | કોઇપણ સંજોગોમાં શિબિરાર્થીની સંખ્યા ૧૨૫ થી વધારે રાખવી નહી. |
 | પ્રાથમિક અને માધ્યમિકના બાળકોની શિબિરો અલગ થશે. |
 | દરેક શાળાના ઓછામાં ઓછા ૧૦% વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે એ રીતે શિબિરોનું આયોજન થશે. |
 | પુસ્તક પ્રદર્શનમાં ઓછામાં ઓછા ૨૫૦-૫૦૦ પુસ્તકો રાખવામાં આવશે. |
 | કોઇ હોમવર્ક આપવામાં આવશે નહી. |