 | આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીએ પોતાને ગમતાં પુસ્તક પર વાર્તાલાપ આપવાનો છે. એ માટે એણે પુસ્તક વાંચેલું તો હોવું જ જોઇએ, પરંતુ સાથે સાથે એને ગમતું પણ હોવું જોઇએ. |
 | આ વાર્તાલાપ માટે અઠવાડિયામાં એક પીરીયડ રાખવામાં આવશે. જે દરમ્યાન દરેક વર્ગના ઓછામાં ઓછા ૩ વિદ્યાર્થીઓ (દરેક પાંચ મિનિટ, કુલ ૧૫ મિનિટ) વાર્તાલાપ આપશે. |
 | વાર્તાલાપની સમય મર્યાદા ૫ મિનિટની રહેશે. શિક્ષક ૫ મિનિટમાં અપાયેલ વાર્તાલાપની સમીક્ષા કરશે. |
 | બાકીના સમયમાં પ્રશ્નોત્તરી થશે. પ્રશ્નોત્તરી માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. |
 | આ રીતે કરવાથી વર્ગના લગભગ દરેક બાળકને એકવાર પોતાને ગમતાં પુસ્તક પર વાર્તાલાપ આપવાની તક મળશે. અન્ય વિદ્યાર્થીઓને વાંચતા અને વાર્તાલાપ આપતા જોઇ, બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે. |
 | શિક્ષકો બાળકોને વાર્તાલાપ આપવા માટે પ્રેરણા આપશે અને પુસ્તકની પસંદગી કરવામાં મદદ કરશે. |
 | યાદ રાખો : |
| |  | આ વક્તૃત્વ સ્પર્ધા નથી. |  | માટે વિદ્યાર્થી જોયા વગર મોઢે બોલે એવો આગ્રહ રાખવામાં આવશે નહી. |  | વિદ્યાર્થી જો વકતવ્ય ભૂલી જાય અથવા ભૂલી જવાનો ડર લાગે તો લખેલું ભાષણ સાથે રાખી શકશે. જેમાંથી મુદ્દા જોઇ શકાય. જોઇને બોલી શકાય.જોઇને બોલી શકાય. |  | મુખ્ય આશય વક્તૃત્વ કળા નહી, પરંતુ ગમતાં પુસ્તક વિષે અભિવ્યક્તિનો છે. |  | આ કાર્યક્રમ શાળામાં દરેક વર્ગમાં થશે, અને વર્ષ દરમ્યાન દરેક વિદ્યાર્થી વાર્તાલાપો આપશે. |  | મહિનામાં એકવાર સુંદર અને શ્રેષ્ઠ વાર્તાલાપ આપનાર વિદ્યાર્થીઓનો સમગ્ર શાળા સ્તરે વાર્તાલાપ થશે, જેથી શાળાના દરેક બાળકોને સારા વાર્તાલાપ વિષે જાણકારી, અનુભવ અને પ્રેરણા મળશે. | |