લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book Friends
Add Floating Book
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
શાળાઓ
વાંચે ગુજરાત અભિયાનમાં ગુજરાતની તમામ શાળાઓ જોડાશે.
અભિયાનની સંપૂર્ણપણે ઝીણવટભરી માહિતિ મેળવો અને શાળાના તમામ શિક્ષકોની સભા ભરી અભિયાન સમગ્ર વર્ષ દરમ્યાન કેવી રીતે ઉજવવું તેનું આયોજન કરો.
અભિયાનની વિદ્યાર્થીઓને સમજ આપવા તમામ વિદ્યાર્થીઓની પણ એક સભા રાખો અને વારંવાર રાખો.
અભિયાનમાં આપની શાળા શ્રેષ્ઠ દેખાવ કરે એનું વિગતવાર આયોજન થાય, આ અભિનવ દરમ્યાન નવા વિચારો સૂઝે અને એ પ્રમાણે અમલ થાય એ માટે દર મહિને શિક્ષકો સાથે સભા કારો અને વિદ્યાર્થીઓને પણ સામેલ કરો.
આપની શાળામાં દર ૧૫૦ વિદ્યાર્થી દીઠ એક ગ્રંથસારિથ (માર્ગદર્શક) શિક્ષકની નિમણુંક કરો.
શાળામાં વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે મને ગમતું પુસ્તક વાર્તાલાપની શરૂઆત કરો.
આપની શાળામાં તરતાં પુસ્તક પ્રોજેક્ટની શરૂઆત કરો.
શાળાનો દરેકે દરેક વિદ્યાર્થી અભિયાનમાં જોડાય એવું વાતાવરણ તૈયાર કરો અને એ માટે પ્રેરણા આપો.
શાળાની લાયબ્રેરીમાં બાળકોને પુસ્તકો વાંચવા આપો.
શાળાની લાયબ્રેરીના પુસ્તકોનું અવાર નવાર પ્રદર્શન રાખો.
આપની શાળામાં પૂરતાં પુસ્તકો ન હોય તો સક્ષમ વાલીઓ, શહેર / ગામના અગ્રણીઓ કે સેવાભાવી સંસ્થાઓની મદદથી દાન મેળવી નાના પુસ્તકાલયની શરૂઆત કરો.
બાળકોને વાચન માટે પ્રેરણા આપી શકે એવા વિધ્વાન વક્તાઓની પ્રેરણા સભા રાખો.
શાળાના દરેક બાળકને અભિયાનની અન્ય સ્પર્ધાઓ જેવી કે વાચન પ્રેરણાલક્ષી નિબંધ, વક્તૃત્વ, ચિત્રકલા અને સુવિચાર વાચન સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા આપો.
શાળામાં / વર્ગમાં વાચન પ્રેરણા નોંધપોથી રાખવાનું આયોજન કરો.
શાળાના ઓછામાં ઓછા ૧૦% વિદ્યાર્થીઓ વિચાર-વાચન શિબિરમાં ભાગ લે એવું સફળતાપૂર્વક આયોજન કરો.
ગ્રંથસારિથ શિક્ષકો પણ શિબિરમાં જોડાઇ એ આવશ્યક છે.
શાળામાં વાંચે ગુજરાત અભિયાનના માહિતિપત્રો, પોસ્ટરો, બેનરો લગાવો અને અભિયાનનું વાતાવરણ તૈયાર કરો.
અભિયાનના હેતુઓ સમજો અને વિદ્યાર્થીઓને સમજાવો. જેથી વિદ્યાર્થીઓ ખૂબ વાંચે, પોતાના જીવનનું ધ્યેય નક્કી કરે અને પોતાનો રોલ મોડેલ નક્કી કરે.
અભિયાનના વિવિધ કાર્યક્રમો, પ્રેરણાસભા, વિચારમેળો, વિચારગોષ્ઠિ, ગ્રંથયાત્રા, ગ્રંથજાગૃતિ યાત્રા તેમજ અન્ય કાર્યક્રમોની માહિતિ માટે વેબસાઇટનો સતત અભ્યાસ કરતાં રહો.
ચાલો આપણાં બાળકોને એકાંગી અને એકલક્ષી નહીં પરંતુ એમનો સર્વાંગી વિકાસ કરી એમને બહુમુખી પ્રતિભાશાળી બનાવીએ.