| આ પ્રોજેક્ટ રાજ્યની તમામ યુનીવર્સીટીઓની તમામ કોલેજોમાં હાથ ધરવામાં આવશે. |
| કાર્ય પધ્ધિત |
 |
આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓએ સદીને ઘડનારા તેમજ યુગ પ્રવર્તક એવા ૧૦૦ થી ૨૦૦ જેટલા વિચારપ્રેરક પુસ્તકોમાંથી કોઇ એક પુસ્તકનું અધ્યયન કરવાનું રહેશે. |
 |
આ માટે કોલેજના દરેક વર્ગમાં વિદ્યાથીંઓનું એક ગ્રુપ બનશે. ગ્રુપમાં ઓછામાં ઓછા ૧૫ અને વધુમાં વધુ ૨૫ વિદ્યાર્થીઓ રહેશે. દરેક ગ્રુપ પોતના નેતા અને બે ઉપ-નેતા બનાવશે અને દરેક ગ્રુપ પોતાના ગ્રુપને આગવું નામ આપશે. |
 |
ગ્રુપ પોતે એક પુસ્તક પસંદ કરશે અને ગ્રુપનો દરેક વિદ્યાર્થી એ પુસ્તકનું વાચન અને અધ્યયન કરશે. |
|
| શેરી વાર્તલાપો |
 |
દરેક વિદ્યાર્થીએ આ વિચારપ્રેરક પુસ્તક વાંચી લીધા બાદ દરેક ગ્રુપ ઓછામાં ઓછા ત્રણ શેરી વાર્તાલાપો આ પુસ્તક વિષે યોજશે, જેમાં ગ્રુપનાં દરેકમાં ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થીઓ વાર્તાલાપ આપશે. |
 |
આવા વાર્તાલાપો કોલેજ સિવાય, વિદ્યાર્થીઓ અરસ-પરસની શેરીમાં, મહોલ્લામાં, સોસાયટીમાં, એપાર્ટમેન્ટના પાર્કીગમાં, અગાસીમાં અને કંઇ નહીં મળે તો કોઇ વૃક્ષની છાયામાં કરશે. |
 |
આવા વાર્તાલાપમાં ગ્રુપના તમામ વિદ્યાર્થી હાજર રહેશે. એ ઉપરાંત મિત્રો, વાલીઓ, આસપાસના વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહી શકશે. |
 |
આવા દરેક વાર્તાલાપમાં એક અતિથિ વિશેષ તરીકે કોઇપણ એક શિક્ષક હાજર રહેશે. |
|
| પુસ્તક વિષે અભિવ્યિક્ત (પ્રેઝન્ટેશન) : |
| સ્પર્ધાના ભાગ તરીકે |
| શેરી વાર્તાલાપ બાદ દરેક ગ્રુપ પોતાના પુસ્તક વિષે પ્રેઝન્ટેશન રજુ કરશે (આશરે ૨૦ થી ૩૦ મિનિટનું). |
| ગ્રુપે કરેલા શેરી વાર્તાલાપની સંખ્યા, વિદ્યાર્થીઓએ આપેલા વાર્તાલાપો અને પ્રેઝન્ટેશનના આધારે શ્રેષ્ઠ ગ્રુપને પુરસ્કાર આપવામાં આવશે. |
| પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેક્ટ હેઠળ સ્પર્ધા ત્રણ સ્તરે યોજાશે. |
 |
પ્રથમ રાઉન્ડ : કોલેજ સ્તરે |
 |
બીજો રાઉન્ડ : યુનીવર્સીટી સ્તરે |
 |
ત્રીજો રાઉન્ડ : આંતર યુનીવર્સીટી-રાજ્ય સ્તરે |
|
| વિચાર ગોષ્ઠિઓ |
| સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે દરેક કોલેજે ૩ થી ૫ જેટલા સફળ મહાનુભાવો સાથે ઓછામાં ઓછી એક ગોષ્ઠિનું આયોજન કરવું. જેમાં વિદ્યાર્થીઓ જીવનઘડતર અને કારકીર્દીની સફળતા માટે પ્રેરણા અને માર્ગદર્શન મેળવી શકશે. |
| ઈનામો |
દરેક સ્તરે પુસ્તકો સ્વરૂપે ઇનામો અપાશે.
રાજ્યકક્ષાએ નિર્ધારિત લઘુત્તમ ગુણાંક પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. રાજ્યકક્ષાએ ક્રમાનુસાર પ્રથમ, દ્વિતીય એવા ઇનામો અપાશે નહી. |