લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
એફએક્યૂ (ફ્રીક્વનટલી આસ્કડ ક્વેશ્ચચન)
મારે શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લેવો છે. હું કોનો સંપર્ક કરું?
આપ આપની શાળાના વર્ગશિક્ષક અથવા ગ્રંથસારથિ શિક્ષકનો સંપર્ક કરો. જો એમના તરફથી પ્રતિસાદ ન મળે તો આપના આચાર્યશ્રીનો સંપર્ક કરો. જો શાળાને કોઇ માહિતી ન હોય તો અભિયાન કાર્યાલયને જણાવો.
મારે શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લેવા ઓછામાં ઓછા કેટલાં પુસ્તકો વાંચવા પડે?
આપે ઓછામાં ઓછા ત્રણ પુસ્તકો વાંચવા પડે.
મારે પુસ્તક તરતું મૂકવું છે. શું પુસ્તક ખરીદવું ફરજીયાત છે?
ના, આપ આપની પાસે કોઇ જૂનું પુસ્તક હોય એ પણ તરતું મૂકી શકો. ખરીદવું ફરજીયાત નથી. પરંતુ પુસ્તક વાંચેલું હોવું જોઇએ, એ ફરજીયાત છે.
મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં ભાષણ કંઠસ્થ કરવું ફરજીયાત છે.
ના, આપ આપની પાસે પ્રવચનના મુદ્દા રાખી શકો અને ભૂલી જવાય તો જોઇ શકો. હેતુ વકતૃત્વ કળા નથી, પરંતુ પુસ્તકમાં સમાયેલા વિચારોની અભિવ્યક્તિ છે.
મારે મારી શાળાની ગ્રંથયાત્રાનું નેતૃત્વ કરવું છે. મારે શું કરવું પડે?
તમારી શાળામાં તમારે સૌથી વધારે પુસ્તકો વાંચવા પડે.